Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રાજકોટ જી.ભાજપ અ.જા.મોરચાના મહામંત્રી પદે મહેશભાઇ વાણિયાની નિમણુંક

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧૮:રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા,જિલ્લા મહામંત્રી મનસુખભાઇ રામાણી, નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,પ્રદેશ ભાજપ અ.જા.મોરચાના પ્રમુખ ડાઙ્ખ.પ્રદ્યુમન વાજા,પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, સૌરાષ્ટ્ર ભાજપ ઝોન ઇન્ચાર્જ વિનોદભાઈ ચાવડા સહિતના અન્ય પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરી રાજકીય અનુભવનો નિચોડ ધરાવતા જસદણ તાલુકાના સાણથલી ગામના મહેશભાઈ વાણિયાની રાજકોટ જિલ્લા ભાજપ અ.જા.મોરચાના મહામંત્રી તરીકે નિયુકિત કરી છે.

વ્યસાયે એડવોકેટ એવા મહેશભાઈ વાણિયાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત નાની વયમાંજ કરી હતી.સામાન્ય કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર મહેશભાઈ વાણિયા છેવાડાના માનવી સુધી પહોંચીને તેમના નાના મોટા પ્રશ્નો હલ કરવામાં કાયમ જાગૃત રહે છે. જસદણ-વિંછીયા તાલુકાની દરેક ચૂંટણીઓમાં ભાજપ પક્ષ માટે રાત દિવસ એક કરી વધુમાં વધુ ભાજપ પક્ષ તરફ મતદારો મતદાન કરે તે માટે હંમેશા તેઓ દોડતા હોય છે સાથે જ તેઓ સરકારની સુખાકારી યોજનાઓ જેવી કે વૃદ્ઘસહાય,વિધવાસહાય, નિરાધાર પેન્શન,આવાસ યોજના સાહિતની સેવાકીય પ્રવૃત્ત્િ। માટે તેઓ છાસવારે સરકારી કચેરીઓમાં જતા હોય છે.તેઓની પક્ષ તરફની વફાદારી અને પક્ષ માટે કરાતી મહેનતને ધ્યાનમાં લઈને ભાજપ પાર્ટીએ તેઓની રાજકોટ જિલ્લા ભાજપ અ.જા.મોરચાના મહામંત્રી તરીકે નિયુકત કરેલ છે.

મહેશભાઈ વાણિયાની આ નિયુકિતને રાજયના કેબિનેટ મંત્રીઓ કુંવરજીભાઇ બાવળીયા અને જયેશભાઇ રાદડિયા,સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યાય ડો. ભરતભાઈ બોદ્યરા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા,જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, રાજકોટ જિલ્લા ભાજપ અ.જા.પ્રમુખ મનોજભાઈ રાઠોડ, રાજકોટ જિ.પં.સદસ્યના પ્રતિનિધિ ધનજીભાઈ ભુવા,જસદણ ભાજપ મીડિયા અગ્રણી હસુભાઈ વસાણી સહિતના રાજકીય આગેવાનોએ આવકારી છે. રાજકોટ જિલ્લા ભાજપ અ.જા.મોરચાના મહામંત્રી તરીકે મહેશભાઈ વાણિયાની નિયુકિત કરવામાં આવતા તેમના મો.નં.૯૯૨૪૫ ૪૩૦૦૧ અને ૯૯૭૮૦ ૪૩૦૦૧ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:41 am IST)