Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સુરેન્દ્રનગરમાં ડોકટર ઓફ ફામર્સીના છાત્રો માટે સફળ રજૂઆત

વઢવાણઃ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતા મેહુલભાઈ પંચાલને ડોકટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓની પરીક્ષા થશે કે નહિ ? અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગેની તકલીફો જાણમા આવતા જીટીયુના રજીસ્ટ્રાર ડો. કે.એન. ખેર સાથે રજૂઆત કરતા તા. ૯ જૂને જીટીયુ તરફથી આ વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ ભરવા અંગેનો પરિપત્ર જાહેર કર્યો હતો, ત્યારે મેહુલભાઈ પંચાલએ આ વિદ્યાર્થીઓ માટે જીટીયુ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને ડોકટર ઓફ ફાર્મસીની તમામ કોલેજના વિદ્યાર્થીઓને એક કરી આંદોલન કર્યુ હતું તેથી મેહુલભાઈની સૂચનાથી આ આંદોલનની એસએનએલ કોલેજના વિશાલ પટેલને જવાબદારી સોંપી જીટીયુના રજીસ્ટ્રાર સાથે રૂબરૂ રજૂઆત કરી હતી. જેમા સરકારની સૂચનાથી આ પરીક્ષામાં મેરીટ બેઝ પ્રોગ્રેસન મળી શકતુ હોવાથી આ પરીક્ષાના સમય અને માધ્યમને લઈને ચર્ચા કરી હતી(તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(10:06 am IST)