Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

હળવદ માર્કેટયાર્ડમાં ૪ વેપારીઓ બિનહરીફ

સંપૂર્ણ બહુમતી તરફ કવાડિયા જુથની કૂચ

રાજકોટ, તા. ૧૮ :. હળવદ માર્કેટયાર્ડમાં માજી પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયાના માર્ગદર્શન હેઠળ ચેરમેન પદના ઉમેદવાર રણછોડભાઈ લાલજીભાઈ પટેલની પેનલ લડી રહી છે. કુલ ૧૬ બેઠકો છે. જેમાં સહકારી ખરીદ વેચાણ સંઘની ૨ બેઠકો અગાઉ બિનહરીફ મળેલ. આજે વેપારી વિભાગમાં ૧ ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લેતા બાકીના કવાડિયા પ્રેરિત પેનલના ૪ ઉમેદવારો શંકરભાઈ મનુભાઈ, રજનીભાઈ રતિલાલ, વજુભાઈ ઠક્કર અને કિશોરભાઈ દલવાડી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. હવે ખેતી વિભાગની ૮ બેઠકો માટે મતદાન થશે.

(3:59 pm IST)