Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વિંછીયાના કાસકોલીયા ગામની પરિણીતાને પતિ-સાસરીયાનો ત્રાસ

રાજકોટ તા. ૧૮ : વિંછીયાના કાસકોલીયા ગામની પરણિતાને પતિ અને સાસરીયાએ ત્રાસ આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.પ્રાપ્‍ય વિગતો મુજબ કાસકોલીયા ગામે રહેતી પરણિતા રીંકલબેન ઝાપડીયાએ પતિ સંજય ગોરધનભાઇ ઝાપડીયા, સસરા ગોરધનભાઇ તથા સાસુ શાંતુબેન સામે વિંછીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીની માસીની દિકરીના સીમંતના પ્રસંગમાંથી પરત આવતા પતિએ તુ કયાં ઘરધવા ગઇતી તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને સાસુ તથા સસરાએ ચડામણી કરી શારીરીક માનસીક ત્રાસ આપી  મદદગારી કરી હતી.

(11:48 am IST)