Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જોડિયા ખાતે તાલુકા કક્ષાનો સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

જામનગર, તા.૧૮: સ્‍વાગત કરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્‍યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્રો અસરકારક અને ન્‍યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવા અંગે સૂચન કરેલ.

જે અન્‍વયે ૨૫-૦૫-૨૦૨૨ બુધવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્‍યાં સુધી મામલતદાર અને એકઝીકયુટિવ મેજિસ્‍ટ્રેટશ્રી જોડિયાના અધ્‍યક્ષસ્‍થાને મામલતદાર કચેરી, જોડિયાના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.

(11:23 am IST)