Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

આમરણ વિસ્તારોમાં પ૬૭ લોકોનું સ્થળાંતર

(મહેશ પંડયા દ્વાર) આમરણ તા.૧૮ :  જોડીયા તાલુકાના કાંઠાળ ગામોમાં પગલા લેવા  એનડીઆરએફની એક ટીમ સંપૂર્ણ સજજતા સાથે કેશિયા ગામે પટેલ સમાજવાડી ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આજે જોડીયા તાલુકા લાયઝન અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા, ટી.ડી.ઓ. કુ.માધુરી પટેલ, આસિ. ટી.ડી.ઓ. જે.એચ. સોરઠીયા સહિત વિવિધ ટીમોએ કાંઠાળ ગામોમાં કાચા મકાનો, ઝૂંપડાવાસીઓ, તથા અંતરિયાળ સ્થળોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરી હતી.

આસિ.ટી.ડી.ઓ. સોરઠીયાએ જણાવ્યું હતું ક,ે જોડીયા, બાલાચડી, ખીરી, હડિયાણા, બાલંભા, રણજતપર, શામપર, જામસર, કોઠારીયા તેમજ અન્ય ગામોના મળી પ૬૭ લોકોને શાળાઓ, સમાજવાડી વગેરે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરાયા છે આરોગ્ય વીજળી, પોલીસ સહિતની ટીમો સુસજજ કરવામાં આવી છે.

(12:36 pm IST)