Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પોરબંદરમાં કોરોના વિસ્‍ફોટઃ નવા ૧૦૦ પોઝીટીવ કેસઃ ૩ મૃત્‍યુ

(પરેશ પારેખ, સ્‍મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. જિલ્લામાં કોરોના વિસ્‍ફોટ થયો હતો તેમ ર૪ કલાકમાં નવા ૧૦૦ કોરોના પોઝીટીવ કેસ આવ્‍યા છે. કોરોનાની સારવાર દરમિયાન ૩ દર્દીના મૃત્‍યુ થયા છે.

કોરોનાની સારવારમાં ૩૮ દર્દીઓ સાજા થઇ જતાં હોસ્‍પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગઇકાલે ૪૭૪ વ્‍યકિતઓના કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતાં. જેમાં ૧૦૦ કોરોના પોઝીટીવ રીપોર્ટ  આવ્‍યા હતાં.

અત્‍યાર સુધીમાં જિલ્લામાં કુલ પોઝીટીવ કેસ ૧૪૬૪૦પ પહોંચ્‍યા છે. જિલ્લામાં સાજા થયેલ છે. ૩૮ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્‍પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં અત્‍યાર સુધીમાં કુલ ૧૮ર૪ કોરોના દર્દીઓ સાજા થઇ ગયેલ છે.

(12:32 pm IST)