Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ભાવનગર જિલ્લાના તળાજાના પીથલપુરના ઢગાએ સાળાની સગીર દીકરીને કુંવારી માતા બનાવી

 ભાવનગર, તા.૧૯: તળાજાના પીથલપુર ગામનો ખેતી કરતો ગોપાલ ઉર્ફે મુન્નાભાઈ ના અહીં પોતાના સમાજમાં લગ્ન થતા ન હોય વલસાડના હળપતિ સમાજમાં લગ્ન કરેલ. ગોપાલ ૨૦૧૮ની સાલમાં દિવાળી અમયે પોતાના સાળાની સગીર દીકરીને અહીં ખેત મજુરી કામના બહાને લાવેલ હતો.૨૦૧૯ની સાલમાં દિવાળી સમયે મૂકી આવેલ. બાદમાં દીકરીને પેટનો દુઃખવો ઉપડતા પેટ ફુલેલું લાગતા દીકરીએ જણાવેલ હતુંકે ફુવા ગોપાળ ઉર્ફે મુન્ના એ મરજી વિરુદ્ઘ બળજબરીપૂર્વક વારંવાર શિકાર બનાવેલ. કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપેલ હતી.

સગીરાને શિકાર બનાવતા રહી ગયેલા ગર્ભને લઈ ગઈકાલે માતા બની હતી. જેને લઈ આ સમગ્ર ઘટના સામે આવી. વલસાડ પોલીસ મથકે ઝીરો નંબરથી નોંધાયા બાદ આજે દાઠા પોલિસ મથક માં નોંધાઈ હતી.તેમ પો.સ.ઇ વાઢેર એ જણાવ્યું હતું.

આધારભૂત વર્તુળએ જણાવ્યું હતુંકે આરોપીનું પુરુ નામ ગોપાળ પુનાભાઈ કુચા છે. તળાજા સી.પી.આઈ દ્વારા આરોપી ની ધરપકડ કરવાની કાર્યવાહી સાથે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:33 pm IST)