Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

જુનાગઢ પાસે ટ્રકે એસટી બસને ઠોકર મારતા કંડકટરનું મોત : પાંચને ઇજા

જુનાગઢ, તા. ૧૮: જુનાગઢ પાસે આજે સવારે અજાણ્યા ટ્રકે એસ.ટી. બસને ઠોકર મારતા બસના કંડકટરનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ હતુ અને પાંચ મુસાફરોને ઇજા થઇ હતી.

આ અકસ્માતની વિગતો એવી છે કે, અંજાર-જુનાગઢ રૂટની એસટી બસ આજે વહેલી સવારે અંજાર તરફ થઇ રહી હતી.

ત્યારે જુનાગઢ નજીક સુખપુર ગામના પાટિયા પાસે આગળ જઇ રહેલા અજાણ્યા ટ્રકના ડ્રાઇવેર અચાનક બ્રેક મારતા પાછળ આવીર હેલી બસ ટ્રક સાથે અથડાઇ હતી.

જેમાં બસના કંડકટર ભુજના મુકેશભાઇ રમણીકભાઇ તેમજ બસના મુસાફરો રામજીભાઇ ગોપાલભાઇ (ઉ.વ.૪ર), અમરગઢ, મુંજલભાઇ રવજી (ઉ.વ.૩પ) જુનાગઢ, શરીફ તૈયબભાઇ (ઉ.વ.૩૧) પીપલાણા સહિત પાંચ મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી.

તમામ ઇજાગ્રસ્તોને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં કંડકટર મુકેશભાઇનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.

અકસ્માત બાદ ટ્રક ચાલક તેના વાહન સાથે નાસી ગયો હતો. તાલુકા પોલીસે બસ ડ્રાઇવર સુનીલ રવજીભાઇની ફરીયાદ લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:31 pm IST)