Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વાંકાનેરમાં શ્રી ગાયત્રી શકિતપીઠ દ્વારા યોગ શિબીર સંપન્ન

વાંકાનેર : ગુરૂદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડીત શ્રી રામ શર્મા આચાર્યજી તથા વિશ્વવંદનીય માતાજીના આર્શિવાદ સાથે 'યોગ બનાવે નિરોગી' ના સુત્ર સાથે તા. ૧ર મી શનિવારથી અત્રેના દિવાનપરામાં આવેલ ગર્લ્સ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં ભાઇઓ તથા બહેનો માટેની યોગ શિબિરનું શ્રી ગાયત્રી શકિતપીઠ દ્વારા આયોજન કરાયુ હતું. આ સાત દિવસની શિબીરમાં ઘણા બધા ભાઇઓ-બહેનોએ યોગ શિક્ષણનો લાભ લીધો હતો દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય હરીદ્વારના યોગાચાર્ય શ્રી રામસિંહજી યાદવ દ્વારા યોગા આસન, પ્રાણાયમ સહિતના યોગ તથા તેનાથી શરીરને થતા લાભ અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપેલ ગાયત્રી પરિવારના મોભી અશ્વિનભાઇ રાવલ અને પરિવારજનો દ્વારા નિઃશુલ્ક શિબીર ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : નિલેશ ચંદારાણા -વાંકાનેર)

(11:46 am IST)