Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોરબીમાં નવયુગ ગ્રૂપ દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટરને રૂ. 2.51 લાખનું અનુદાન: કોરોનાના કપરાકાળમાં દાતાઓ તરફથી વહેતો સહાયનો ધોધ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં ઓક્સિજન વાળા બેડના અભાવે કોઈને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર ખાતે ઓક્સિજન વાળા 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. તે અનુસંધાને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા રૂ. 2,51,000 નું અનુદાન આપવામાં આવેલ છે.
મોરબી જિલ્લો આર્થિક રીતે સુખી સંપન્ન છે. તો હાલની આ કોરોના સંક્રમણની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગપતિઓ તેમજ આર્થિક સદ્ધર વ્યક્તિઓ આવા સેવાકાર્યમાં આગળ આવીને લોકોને ઉપયોગી થાય એવી અપીલ પણ કરવામાં આવી છે.

(9:17 pm IST)