Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

થોરાળા રામનગરના દિલીપભાઇ પાટીલનું બેભાન હાલતમાં મોત

નવા થોરાળાના રામનગર-૯માં રહેતાં અને છુટક મજૂરી કરતાં દિલીપભાઇ બટુકભાઇ પાટીલ (ઉ.૬૫) ગત સાંજે ભાવનગર રોડ પર જયનાથ પંપ પાસે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર વિનોદભાઇ છે. તેના કહેવા મુજબ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.

(12:25 pm IST)