Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ધોરાજીના વાડોદર ગામે મહિલા પર પથ્થર વડે હૂમલો કરાયાની પોલીસ ફરિયાદ

ધોરાજી, તા.૧૮: પાટણવાવ પોલીસ સ્ટેશન માંથી પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે જણાવેલ કે આ ઘટનામાં આરોપી સામે એસ્ટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના વાડોદર ગામે રહેતા સ્મીતાબેન સાદુરભાઈએ પાટણવાવ પોલીસમાં પોતાની ફરીયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવેલ કે પોતાના ઘર પાસે આરોપી પ્રવિણ મનુ ચૌહાણ ગાળો બોલતો હોય જેથી ગાળો બોલવાની ના પાડતા સ્મીતાબેન પર આરોપીએ પથ્થરવડે હુમલો કરતા સારવારમાં ગયેલ અને સારવાર બાદ ફરી ઘેર આવતા આરોપીએ લાકડી વડે હુમલો કરતા આ અંગે સ્મીતાબેનએ એસ્ટોસીટી એકટ અને અન્ય કલમો સહીત પોલીસ ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી આ બનાવ અંગે રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી મહેતા તપાસ ચલાવી રહેલ છે.

(12:13 pm IST)