Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા ઉમરાળા તાલુકાના અગ્રણીઓ ભાજપમાં સન્નાટો છવાયો

 ભાવનગર, તા. ૧૮ : લીમડા (હનુભાના) ખાતે મળેલી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર શ્રી મનહરભાઇ પટેલની સભામાં ભાજપના અગ્રણી અને ખેડૂત આગેવાન શ્રી ઠાકરશીભાઇ નાવડીયા, તા.પંચા. ઉમરાળાના પૂર્વ પ્રમુખ અને દલીત અગ્રણી શ્રી હીરાભાઇ પરમાર તેમના અસંખ્ય ટેકેદારો અને વિવિધ સમાજના અગ્રણીઓની સાથે ભાજપ સાથે છેડો ફાડીને શ્રી મનહરભાઇ પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રવિણભાઇ રાઠોડ તથા ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ મારૂની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાતા તમામને આવકારવામાં આવ્યા હતા. રંધોળા કોંગ્રેસના અગ્રણીઓ શ્રી નારણભાઇ ડાંગર, શ્રી ગેમાભાઇ કુવાડીયા, શ્રી અજીતસિંહ ગોહિલ, શ્રી રસીકભાઇ પરમાર, અશોકભાઇ ડાંગર, માધાભાઇ જોગદીયા વિગેરેના પ્રયત્નોથી ઉમરાળા તાલુકા કોંગ્રેસ વધુ મજબૂત બની છે.

(9:30 am IST)