Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વાંકાનેરમાં જુદા જુદા સંગઠનો દ્વારા નિર્ભયા અને આસીફાને કેન્ડલ સાથે શ્રધ્ધાંજલી

વાંકાનેર, તા. ૧૮ :. વાંકાનેર શહેરના ગ્રીનચોકમાં આજે રાત્રે જુદા જુદા સંગઠનો અને અગ્રણીઓએ વર્તમાન સરકારની ઝાટકણી કાઢી દુષ્કર્મનો ભોગ બનેલી નિર્ભયા તથા આસીફા જેવી અનેક બાળાઓ - બહેનોને કેન્ડલ સાથે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસુલભાઈ પરાસરા, ડીરેકટર શકિલબાવા પીરઝાદા, સહકારી સંઘના પ્રમુખ ઈસ્માઈલભાઈ બાદી, મોરબી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ગુલામભાઈ પરાસરા, જી.કે. બોસીયા, રાજ પઢીયાર, બોદુ બ્લોચ, એડવોકેટ સરફરાજ પરાસરા, કે.કે. ઝાલા, પ્રકાશભાઈ સહિતના જુદી જુદી સંસ્થાના અને ગ્રુપ મેમ્બરો અને શહેરીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

અને વર્તમાન ભાજપ સરકાર આ બાબતે કડક વલણ સાથે આવા નરપીચાસોને કાયદાનું ભાન કરાવે તેવા પગલા ભરવાની બદલે શાંત બેઠેલા નેતાઓને આડેહાથ લીધા હતા. બાદ કેન્ડલ સાથે રાષ્ટ્રગાન બાદ મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી.

(12:09 pm IST)