Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વેરાવળ સાતરોડાની અંજના અપારનાથીનો ઝેર પી આપઘાતઃ બે સંતાન મા વિહોણા

રાજકોટ તા. ૧૮: વેરાવળ સોમનાથ (ગીર) તાબેના સાતરોડા ગામે રહેતી અંજનાબેન જીજ્ઞેશ અપારનાથી (ઉ.૨૬) નામની બાવાજી પરિણીતાએ ૧૫મીએ ઘરે ઝેર પી લેતાં વેરાવળ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરતુ અહિ ગત મોડી રાત્રે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલાળા અને દિપસિંહ ચોૈહાણે વરેાવળ પોલીસને જાણ કરી હતી. આઘપાત કરનાર અંજનાબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ જીજ્ઞેશ છૂટક મજૂરી કરે છે. તેણીના માવતર પીપાવા રહે છે. તેણીએ ઝેર પીધું ત્યારે પરિવારજનોએ પુછતાછ કરતાં 'બસ અમસ્તા જ પી લીધું...' તેવું રટણ કરી બેભાન થઇ ગઇ હતી. વેરાવળ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(12:06 pm IST)