Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મોરબીમાં ગૌસેવાના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં દાનનો ધોધ

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા દેશભકિત લોકડાયરો યોજાયો હતો.જેમાં સાહિત્યકારોએ સાહિત્યને બખૂબીથી વણી લઈને પ્રત્યેકના મનમાં દેશભકિતનો સંચાર કર્યો હતો આ લોકડાયરામાં ગૌમાતા માટે રૂ બે લાખનો ફાળો એકઠો થયો હતો

મોરબીના રત્ન કલા એકસપોર્ટના ગ્રાઉન્ડમાં જામદૂધઇ ક્રાંતિકારી સેના દ્વારા ગૌશાળાના લાભાર્થે દેશભકિત લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને હસુભાઈ કુબાવતે પોતાની સાહિત્ય સરવાણી માં દેશભકિતની શૌર્ય ગાથા રજુ કરી હતી. આ લોકડાયરાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.ઉપરાંત લોકોએ ગૌમાતા માટે ઉદાર હાથે દાન આપતા એક રાતમાં રૂ.બે લાખનો ફાળો એકઠો થયો હતો.

(12:00 pm IST)