Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

દ્વારકામાં ભાયાણી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહ સંપન્નઃ વિવિધ ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવાયા

રાજકોટઃ. દ્વારકામાં ભાયાણી પરિવાર દ્વારા તા.૧૦ થી ૧૬ સુધી શ્રીમદ્ ભાગવત  સપ્તવહન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ''અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન કર્યુ હતુ અને દ્વારકાધીશ ભગવાનનાં પૂજારીશ્રીના આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા.  દ્વારકાધીશ ભગવાન, કુળદેવી શ્રી મોમાઇ માતાજીની કૃપાથી અંતરિક્ષમાંં બિરાજમાન સર્વે પુર્વજોના પુણ્યપ્રતાપે ઉકાભાઇ માધવજીભાઇ વસ્તા ભાયાણી પરિવારના સર્વ પિતૃદેવોના મોક્ષાર્થે તેમજ આત્મ શ્રેયાર્થે તા. ૧૦થી ૧૬ એપ્રિલ સુધી દ્વારા ખાતે શ્રીમદ્  ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ  હતું.  દ્વારકા ખાતે પ્રેમભિક્ષુજી મહારાજ રામધુન મંદિર રોડ ઉપર આવેલ હોટલ સુંદર પેલેસ ખાતે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસાસને પૂ.ભાઇશ્રી શાસ્ત્રી જીતેન્દ્રભાઇ યાજ્ઞિક સંગીતમય શૈલીમાં કર્મ, ભકિત અને જ્ઞાનથી ભરપુર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના અમૃતમય ઉપદેશનું રસપાન કર્યુ હતું. જેમા હિંમાશુભાઈ ભાયાણી  અને ચિરાગભાઈ ભાયાણી પરિવાર સાથે પારીવારિક નાતે  ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ હાજરી આપી હતી. આ તકે દ્વારકાના 'અકિલા'ના પ્રતિનિધિ વિનુભાઈ સામાણીએ પણ હાજરી આપી હતી.  પ્રસંગોને સફળ બનાવવા શ્રી રમણીકભાઇ ઉકાભાઇ ભાયાણી, શ્રીમતી હંસાબેન રમણીકભાઇ ભાયાણી, શ્રી દિલીપભાઇ ઉકાભાઇ ભાયાણી, શ્રીમતી વર્ષાબેન દિલીપભાઇ ભાયાણી, શ્રી હિમાંશુભાઇ રમણીકભાઇ ભાયાણી, શ્રીમતી જાહનવીબેન હિમાંશુભાઇ ભાયાણી, શ્રી ચિરાગભાઇ રમણીકભાઇ ભાયાણી, શ્રીમતી નેહાબેન ચિરાગભાઇ ભાયાણી, શ્રી યશ ચિરાગ ભાયાણી અને ભાયાણી પરિવાર, શ્રીમતી શારદાબેન વસંતરાય હપાણી, શ્રીમતી રંજનબેન ગુણવંતરાય મકાણી, શ્રીમતી ઉષાબેન ચંદ્રકાંત શેઠ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(11:56 am IST)