Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

રાજકોટમાં સમસ્ત રાજગોર સમાજના કાર્યક્રમનું સત્તાધારનાં જીવરાજબાપુ અને વિજયબાપુને નિમંત્રણ

આગામી તા ૨૩ ને શનિવારના રોજ શ્રીસમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા પુ.ુ મુકતાનંદજી બાપુ, ગીજુભાઇ ભરાડનો સન્માન સમારોહ અને પૂ. રમેશભાઇ ઓઝાની ભાવવંદનાનો કાર્યક્રમ યોજાનાર છે, જેનું આમંત્રણ આપવા આ કાર્યક્રમની કોર કમીટીના શ્રી જતિનભાઇ ભરાડ, જયંતિભાઇ તેરૈયા, તેમજ ભરતભાઇ જોષી, ધીરૂભાઇ મહેતા, ઇશ્વરભાઇ તેરૈયા વગેરે સત્તાધારા પહોચ્યા હતા અને પૂ. જીવરાજબાપુ અને વિજયબાપુને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા  નિમંત્રણ પાઠવ્યું  અને કાર્યક્રમની સફળતા માટે આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા, ઉપરોકત તસ્વીરમાં આ સંતોને નિમંત્રણ આપતા કોર કમીટીના સભ્યો સાથે વિસાવદરના પત્રકાર ગિજુભાઇ વિકમા તથા ધનજીભાઇ દવે વગેરે નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(4:05 pm IST)