Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ઢંકગિરી-ઓસમડુંગર ઉપર કાલે છ ગાઉની યાત્રા

ધોરાજી તા.૧૮: તાલુકાના પાટણવાવ ગામે ઓસમડુંગર ઉપર ફાગણ-સુદ-૧૩ ને તા.૧૯મીએ મંગળવારના રોજ છ-ગાઉની યાત્રા યોજાનાર છે તેમ ઢંકગિરી તિર્થોદ્વારિકાના સાધ્વીરત્ના પૂ.ચારૂવૃતાશ્રીજી મ.સા.એ જણાવ્યું છે.

છેલ્લા ૩૧ જેટલા વર્ષથી યોજાતી આ છ ગાઉની યાત્રામાં હજારો શ્રાવકો-શ્રાવિકાઓ પ્રદક્ષિણામાં હોંશભેર ભાગ લે છે, આગામી તા.૧૯મી માર્ચને મંગળવારે સવારે ૬-૪પ કલાકે સાધ્વીરત્ના પૂ.ચારૂવૃતાશ્રીજી મ.સા. યાત્રાનો પ્રારંભ કરાવશે. અંદાજે ૬ કી.મી. થી વધુ લાંબી આ યાત્રા પાટણ શહેરથી પ્રસ્થાન થઇને પીરબાપાની દરગાહ, આદીનાથ દાદાના પગમાં, થઇ બંને દેરાસર અને ચંદન તલાવડી વગેરે થઇને પરત ફરશે. આ પ્રદક્ષિણામાં ભાગ લેવા ઇચ્છતા શ્રાવક-શ્રાવિકાઓએ સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ પ્રસંગે પાલની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ઢંકગિરી શેત્રુંજયની પરિક્રમમાં ભાવિકોને જોડાવવા ઓસમ જૈન ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવ્યું છે. (૧૧.પ)

 

(11:36 am IST)