Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મૂળી સ્વામિનારાયણ મંદિરે શ્રીમદ સત્સંગી જીવન પારાયણનો પ્રારંભ

મૂળી તા.૧૮ : સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારમાં આવેલા મુળી તાબેના સ્વામિનારાયણ મંદિર ખાતે પાંચ દશાબ્દી મહોત્સવ ના ઉપલક્ષમાં શ્રીમદ સત્સંગીજીવન પંચાન્હ પારાયણનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ ૧૫ ૨ ના રોજ સાંજના ચાર કલાકથી કરવામાં આવ્યો છે ત્યારે આ કથા તારીખ ૧૯ ૨ ના રોજ સુધી ચાલનાર છે ત્યારે કથાના પ્રારંભમાં સાથે કથાના વકતા પુરાણી સ્વામિ નિત્ય પ્રકાશ દાસજી જી એ કથાનો પ્રારંભ કર્યોછે ત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભકતોનું કથામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આ કથાના આયોજનમાં સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણ વલ્લભ દાસજી સ્વામી તેમજ કનુ ભગત અરવિંદ મામા ભૂદેવ શૈલેન્દ્રસિંહ ઝાલા તેમજ નર નારાયણ ગ્રુપના ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.

(12:01 pm IST)