Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

૧૦૦ ફૂટ ઊંચો ત્રિરંગો સુરેન્દ્રનગર રેલવે મથક પર લહેરાયો

રાષ્ટ્રીય ભાવના વધારવા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર વધારવા ઝાલાવાડવાસીઓની સલામી સાથે

 વઢવાણ તા. ૧૮ : સુરેન્દ્રનગર જિલ્લાના રેલ્વે સ્ટેશન પર સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાનીઙ્ગ સુવિધા અર્થે અલગ અલગ પ્રજાલક્ષી કાર્યક્રમો રાખવા માં આવી રહા છે. આ અગાઉ પેસેન્જર ને એક પ્લેટફોર્મ પર થી બીજા પ્લેટફોર્મ પર જવા માટે અગવડતા ન પડે તે માટે લિફટ લાખોના ખર્ચે મૂકવામાં આવી હતી.  મુસાફરોને જુના રેલવે એન્જિન વિશે માહિતી મળે તે અર્થે જુનું રેલ્વે એંજીન પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું..

રાષ્ટ્રીયના માન સન્માન માટે રેલવે સ્ટેશન ખાત સો ફૂટ ઊંચાઈ ધરાવતો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય અને માન-સન્માન આપવામાં આવ્યું હતું. કેમ્પસમાં સાંજે ૧૭.૩૦ વાગ્યે ૧૦૦ ફૂટની ઉંચાઇ પર રાષ્ટ્રધ્વજ - સ્મારક ધ્વજ સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને મંડળ રેલ મેનેજર પરમેશ્વર ફૂંકવાલની હાજરીમાં ફરકાવવામા આવીયો હતો.

સો ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવતા સમગ્ર ઝાલાવાડ વાસીઓને રાષ્ટ્ર પ્રત્યેની અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેની લાગણી વ્યાપીને ખાસા રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત સાથે અને આદરપૂર્વક રીતે ૧૦૦ ફૂટની ઊંચાઈએ લહેરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યા માં રેલવે વિભાગના કર્મચારીઓ અને  ઝાલાવાડ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રેલમંત્રાલય દ્વારા જારી કરાવેલ માર્ગદર્શન મુજબ, પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે ૧૦૦ ફુટ ઊંચો સ્મારક તરીકે સ્થાપિત રાષ્ટ્રધ્વજનું ઉદ્ઘઘાટન થયું. રેલ સુરક્ષા બળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કરવામાં આવ્યું કર્યું.

રાજકોટ ડિવિઝનના ડિવિઝન રેલ્વે મેનેજર પરમેશ્વર ફેંકવાલે જણાવ્યું કે રાષ્ટ્રીય ધ્વજ પ્રતિ આદર તથા દેશપ્રેમની ભાવના રેલ્વે યાત્રીઓમાં વધારવા માટે આ રાષ્ટ્રીય ધ્વજ સ્થાપિત કરવામાં આવ્યું છે. વર્તમાનમાં રાજકોટ ડિવિઝનના રાજકોટ સ્ટેશન પર સ્મારક રાષ્ટ્રીય ધ્વજ સ્થાપિત છે આની સાથે ડિવિઝનના દ્વારકા, જામનગર તથા મોરબી સ્ટેશનો પર મોનુમેન્ટલ ફલેગ લગાવવાનો કાર્ય પ્રગતિ પર છે.

(12:01 pm IST)