Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

જામકંડોરણામાં રેલી યોજી મૌન પાળી શહીદોને શ્રધ્ધાંજલી અપાઇ

કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા સહિતના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં લોકો જોડાયા

જામકંડોરણા, તા.૧૮: જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પવા જામકંડોરણા ગૌરક્ષક સેવા સમિતિ દ્વારા રેલી કાઢી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ રેલી બસ સ્ટેનશનથી શરૂ થઇ પટેલ ચોક, મેઇન બજાર, ભાદરા નાકા, કાલાવડ રોડ થઇ બસ સ્ટેશને પૂર્ણ થઇ હતી. આ રેલી દરમ્યાન પટેલ ચોકમાં બે મિનિટ મૌન પાળી શહીદોને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. આ વિશાળ રેલીમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, ક્રિપાલસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વાળા, જશમતભાઇ કોયાણી, ચંદુભા ચૌહાણ, સહિતના દરેક સમાજના સામાજિક તેમજ રાજકીય આગેવાનો, સ્કુલના બાળકો તેમજ શહેરના વેપારીઓ જોડાયા હતા. જામકંડોરણા શહેરના વેપારીઓએ સ્વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં જોડાયા હતા અને શહીદ થયેલ વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પી હતી.(૨૩.૪)

(12:27 pm IST)