Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કચ્છમાં મુંદ્રાના કિડાણા ગામમાં રમખાણ મામલે 40 લોકોની અટકાયત : તોફાનમાં એકનું મોત : પોલીસમેનને પણ ઇજા

તમામ સંવેદનશીલ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

 

કચ્છમાં મુંદ્રાના કિડાણા ગામમાં રામ મંદિર નિધિની રથયાત્રા પર લઘુમતીઓ દ્વારા પથ્થરમારો કરાયા બાદ ફાટી નીકળેલા કોમી દંગલ અને વાહનો સળગવા ની ઘટના બાદ આજે કિડાણાના હનુમાન મંદિર ખાતે વીએચપી, મંદિરના મહંત તેમજ હિન્દૂ સમાજ ના અગ્રણીઓ એકત્ર થયા હતા જેઓ માં આક્રોસ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, પોલીસે મામલે 40 જેટલા લોકોની અટકાયત કરી હતી.

કચ્છ એસપી મયુર પાટીલે જણાવ્યું હતું કે કિરાણા ગામે બનાવ બન્યો છે તેમાં ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ સંવેદનશીલ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને રાઉન્ડઅપ કરવાની કામગીરી ચાલી રહી છે.

40 લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.એક વ્યક્તિ નું મોત થતા હત્યા નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મજૂરને તીક્ષ્ હથિયારથી ઈજા થવાના લીધે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બનાવથી 200-300 મીટર દૂર બનાવ બન્યો હતો. ઘટનામાં પોલીસને પણ ઈજાઓ થઈ છે. ભગવાન રામ મંદિર ના મંદિર નો ફાળો ઉઘરાવવા નીકળેલા લોકો ભગવાન રામનો સુત્રોચાર કરતા અને ડીજે વગાડતા મસ્જિદ માંથી કેટલાક લઘુમતીઓ દ્વારા પથ્થર મારો કરાતા તોફાનો ફાટી નીકળ્યા હતા જેમાં એક શ્રમજીવી નું મોત થવા સાથે પોલીસ ને પણ ઇજા થઇ હતી.

(12:31 am IST)