Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે મકાન વિહોણા લોકોને રાજ્યના મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે સંનદ વિતરણ કાર્યક્રમ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ્ય કક્ષાએ મકાન વિહોણા લોકો માટે ૧૦૦ ચો.વાર ના પ્લોટની સનદનો વિતરણ કાર્યક્રમ યુવા મંત્રી જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા દિનેશભાઈ ભૂવા તેમજ સરકારી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(6:18 pm IST)