Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કચ્છના નળ સરોવર રોડ ઉપર બે મોરને ઝેરી અસરઃ તાબડતોબ સારવાર અપાઈ

કચ્છના હાંસલપુર-નળ સરોવર રોડ પર આવેલા મોટીથારી ગામની સીમમાં બે રાષ્ટ્રીય પક્ષી મોરને ઝેરી અસર થતા તેનો વિડીયો વાયરલ થયો હતો અને તેમા ૫૦૦થી ૬૦૦ મોર આ વિસ્તારમાં હોવાનું જણાવ્યુ હતુ પરંતુ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક શ્રી અને વન વિભાગની ટીમે જણાવ્યુ હતુ કે અહીં ૬૮થી ૮૦ જેટલા મોર વસવાટ કરે છે. જેમાંથી માત્ર બે મોરને જ કોઈ પ્રકારનું ફુડ પોઈઝીંગ થયુ હતુ. અન્ય મોરને કોઈ રોગચાળો લાગુ પડયો નથી. આ વિસ્તારમાં બર્ડ ફલુ કે અન્ય રોગચાળો ન હોવાનું જણાવ્યુ છે. આ અંગે રાજકોટના જીવદયા પ્રેમી મિતલભાઈ ખેતાણીએ જણાવ્યુ હતુ કે, વિડીયો વાયરલ થયા બાદ પશુપાલન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને બન્ને મોરની સારવાર શરૃ કરી દીધી હતી. તસ્વીરમાં બન્ને મોર સાથે જીવદયાપ્રેમીઓ નજરે પડે છે

(3:27 pm IST)