Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ખંભાળીયા પાસે સર્જાયેલ અકસ્‍માતમાં ભાટીયાના એક અને અમદાવાદમાં ર યુવકો ભોગ બન્‍યા

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૧૮ :  દ્વારકા રોડ પર આજે સવારે ભાટીયાની કાર તથા અમદાવાદની કાર વચ્‍ચે અકસ્‍માત થયો હતો જેમાં ત્રણના મોત નિપજયા હતા જેમાં ભાટીયાની કવુબેન મેરૂભાઇ ગોઝીયા (ઉ.વ.ર૦)નું મોત નિપજયું હતું. જેઓ જામનગર જતા હતા.

સામી કારમાં અમદાવાદની દ્વારકા જતા કારમાં બેના મોત નિપજયા હતા જેમના કોઇ પરિવારજનો લાયસન્‍સ તથા ઓળખકાર્ડના આધારે દિનેશ જયરામભાઇ રબારી (ઉ.વ.૩૦) તથા જગદીશ ઇશ્વરભાઇ દેસાઇ (ઉ.વ.૩ર)વાળાના મોત નિપજયા હતા.  પો.ઇ. વાગડિયાએ આ અંગે તપાસ હાથ ધરી છે.

(1:39 pm IST)