Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગોંડલના અજંતાનગરમાં કમલેશભાઇ ટુકડીયાના મકાનમાં ૩ લાખની ચોરી

પિતાનું અવસાન થતા કમલેશભઇ પરિવાર સાથે મોટાભાઇને ત્યાં ગયા હતા ને તસ્કરો કળા કરી ગયા

રાજકોટ,તા. ૧૮: ગોંડલના જેતપુર રોડ આવેલી અજંતાનગર સોસાયટીમાં રહેતા કુરીયર સર્વિસના સંચાલકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ તથા ઘરેણા મળી રૂ. ૨,૯૭,૭૦૦ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના જેતપુર રોડ પર અજંતાનગર સોસાયટીમાં રહેતા અને કુરીયર સર્વિસના સંચાલક કમલેશભાઇ પ્રેમજીભાઇ ટુકડીયા (ઉવ.૪૪)ના પિતાનું ગત રવિવારે  અવસાન થતા તેથી તે પરિવારજનો સાથે મકાનને તાળુ મારી જેતપુર રોડ પર ઉદ્યોગનગર સોસાયટીમાં રહેતા તેના મોટાભાઇના ઘરે ગયા હતા. બાદ ગત શુક્રવારે કમલેશભાઇ કપડા લેવા માટે ઘરે ગયા ત્યારે દરવાજો ખુલ્લી અને તેના નકુચો તુટેલો જોતા અંદર તપાસ કરતા કબાટનો લોક તૂટેલો અને સામાન વેરવીખેર અને કબાટમાંથી રૂ. ૨,૨૫,૭૦૦ની કિંમતના સોનાના દાગીના, ચાંદીના સાંકળા, એક ટીવી અને રૂ. ૬૦,૦૦૦ રોકડ મળી રૂ. ૨,૯૭,૭૦૦ની માલમતા ગાયબ જોતા ચોરી થઇ હોવાની ખબર પડતા પોતે ગોંડલ સીટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કમલેશભાઇની ફરિયાદ દાખલ કરી પી.આઇ એસ.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી હતી.

(12:12 pm IST)