Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કેબિનેટ મંત્રી દ્વારા રામમંદિર માટે રૂા.૫૧ લાખનો ચેક

જસદણ :  જસદણના ધારાસભ્‍ય અને પાણી પુરવઠા પશુપાલન મંત્રી કુંવરજીભાઇ એમ.બાવળીયાએ રામ મંદિર તીર્થ ધામ નિર્માણ માટે સમર્પણ નિધિમાં રૂપિયા ૧.૫૧ લાખ (એક લાખ એકાવન હજાર)નો ચેક જસદણ રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંદ્યની ટીમને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે અખિલભાઈ યાદવ, અશોકભાઈ મહેતા, ચંદુભાઈ કચ્‍છી, ભરતભાઈ જનાણી, ધનજીભાઈ હિરપરા, વિરેન્‍દ્રભાઈ મકાણી સહિતના લોકો હાજર રહ્યા હતા. (તસ્‍વીર : ધર્મેશ કલ્‍યાણી)

(12:14 pm IST)