Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

જામનગરમાં CAA ના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ : સંતો-મહંતો અને આગેવાનો જોડાયા

વિવિધ સંસ્થાઓના આગેવાનો,કાર્યકરો, કોર્પોરેટરો અને વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તિરંગા, બેનરો સાથે જોડાયા

જામનગરમાં CAAના સમર્થનમાં શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરના શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્થાના દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલીના ગૌ.વલ્લભરાયજી મહોદય, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતોની ઉપસ્થિતમાં વિવિધ સંસ્થાઓના લોકોએ વિશાળ રેલી યોજી હતી.

       રાજ્ય મંત્રી હકુભા જાડેજાની આગેવાનીમાં નિકળેલી સમર્થન રેલીમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેયર હસમુખભાઈ જેઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી ડો.વિનુભાઈ ભંડેરી સહિતના આગેવાનો ઉપરાંત શહેર ભરમાંથી 10 હજારથી વધુ સંખ્યામાં લોકોએ સાત રસ્તા પર આવેલા પ્રદર્શન મેદાનથી શહેરના વિવિધ માર્ગો પર રેલી કાઢી CAAનું સમર્થન કર્યું હતું.

      આ રેલીમાં જામનગરની વિવિધ સંસ્થાઓના આગેવાનો,કાર્યકરો, કોર્પોરેટરો અને વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તિરંગા, બેનરો સાથે જોડાયા હતા.(તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર)

(7:09 pm IST)