Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સુરેન્દ્રનગરમાં એન.એસ.યુ.આઈ. દ્વારા બહેતર ભારત અભિયાન

સુરેન્દ્રનગરમાં એન.એસ.યુ.આઈ.ની કારોબારી બેઠક ગુજરાત પ્રદેશ મહામંત્રી તથા રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર તથા સુરેન્દ્રનગર જીલ્લા પ્રભારી પવન મજેઠીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં બહેતર ભારત પ્રોગ્રામના ફોર્મનું લોન્ચીંગ કરવા માટે તથા એન.એસ.યુ.આઈ.ના યુવા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, ચોટીલા ધારાસભ્ય રૂત્વીકભાઈ મકવાણા, જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન રંગપરા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝંખનાબેન ભગત, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઈ ખાચર, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કાંતીભાઈ ટમાલીયા, જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુબોધભાઈ જોષી, જયદીપસિંહ પરમાર, રવિભાઈ મકવાણા, મયુરધ્વજસિંહ જાડેજા, તાહીરભાઈ સોલંકી, દીવ્યરાજસિંહ ગોહિલ, મયુરસિંહ ચુડાસમા, ઈમ્તીયાઝ જામ વગેરે સાથે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ તે વખતની તસ્વીર.(૨-૩)

(10:11 am IST)