Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

જૂનાગઢ આચાર્ય શ્રી નિર્મળસાગર મહારાજશ્રી કાળધર્મ પામ્યાઃ પાલખી યાત્રા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ. જૂનાગઢના આચાર્ય શ્રી નિર્મળસાગર મહારાજ આજે સવારે કાળધર્મ પામ્યા છે. તેમની પાલખી યાત્રા સમોસરણ દિગંબર જૈન મંદિર ધર્મશાળા ખાતેથી નિકળી હતી. જેમાં મહાસતીજીઓ તથા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ લલિતભાઈ દોશી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ ઉદાણી તથા જૂનાગઢના હોદેદારો અને જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:41 pm IST)