Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

જામનગરઃ ગોળીબાર, ખંડણી કાંડમાં કોર્પોરેટર રિમાન્ડ પર

ભૂમાફિયા સાથેના કનેકશનોની તપાસઃ ગોળીબાર કરનાર અને અન્ય આરોપીઓ સીસીટીવી કેમેરાના આધારે ઓળખાયા

જામનગરઃ જામનગરની મહિલા કોલેજના પ્રોફેસર ડો. પરસોતમભાઇ રાજાણીના બંગલામાં બે દિવસ પહેલા ફાયરીંગ કરવા અંગે તેમજ  જમીનના સોદા કેન્સલ કરવા અંગે ધાકધમકી આપી રુ. ૧ કરોડની ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં જામનગર શહેર ભાજપ વોર્ડ નં.૧૬ ના કોર્પોરેટરઙ્ગઅતુલ ભંડેરીનુ નામ ખુલ્યુ હોવાથી એલસીબી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ૧૪ દિવસની રીમાન્ડની માંગણી સાથે તેને અદાલત સમક્ષ રજુ કર્યાે હતો. જેમાં અદાલતે ૩  દિવસની પોલીસ રીમાન્ડની માંગણી મંજુર કરી છે.

આરોપી કોર્પોરેટરને  કુખ્યાત ભુમાફીયા  જયેશ પટેલ સાથે કયા પ્રકારના કનેકશનો છે તે અંગેની પુછપરછ શરૃ કરવામાં આવી છે.  તેમણે જયેશ પટેલ સાથે વોટસએપ કોલીંગથી વાતચીત કરી હોવાનુ ફરિયાદી જણાવતા હોવાથી  સાયન્ટીફીક પુરાવાઓ મેળવવા અને જયેશ પટેલ સાથેની તેની કડીઓ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઙ્ગ

(1:46 pm IST)