Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

જામનગરના બ્રાસ પાર્ટસના અગ્રણી વેપારીનું બાઇકની ઠોકરે મૃત્યુ

જામનગરઃ દિગ્વિજય પ્લોટ શેરી નંં. પ૪ માં રહેતા અને બ્રાસ પાર્ટનો વ્યવસાય કરતા નવીનભાઇ તુલસીદાસભાઇ નંદા(પ) ધોરીવાવ નજીક નંદા પરિવારના કુળદેવી માતાના દર્શન કરવા માટે પોતાના જ મિત્ર કાંતિલાલ જેરામભાઇ સાથે પગપાળા ચાલીને જામનગરથી ધોરીવાવ તરફ જઇ રહ્યા હતા.  ધોરીવાવ-સમાણા ધોરીમાર્ગ પર ગઇ સાંજે મોટર સાયકલના ચાલકે પુરપાટ વેગે આવી અને બંને રાહદારીઓને પાછળથી ટકકર મારી દીધી હતી. જેમા નવિનભાઇને માથાના ભાગ તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી ટુંકી સારવાર દરમ્યાન તેમનુ મૃત્યુ થયુ હતુ.

આ ઉપરાંત તેમની સાથેના કાંતિભાઇ જેરામભાઇને પણ ઇજા થઇ હોવાથી હોસ્પિટલમાં  સારવાર અપાઇ હતી. બાઇક ચાલક પ્રવિણભાઇ મકવાણાને પણ ઇજા થઇ છે અને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.  મૃતક નવીનભાઇના પિતરાઇ ભાઇ  કાંતિભાઇ નંદાએ બાઇક ચાલક પ્રવીણ મકવાણા સામે ફરીયાદ નોંધાવી છે.

(12:59 pm IST)