Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

વંથલીમાં ઝેરી પદાર્થ ખાવાથી ૧૧ ગૌવંશના મૃત્યુઃ તપાસની માંગણી

શાપુરઃ જુનાગઢના વંથલીમાં ઝેરી પદાર્થ ખાવાથી એક સાથે ૧૧ ગૌવંશના મૃત્યુથી અરેરાટી વ્યાપી ગઇ છે. ગૌસેવકો દ્વારા તપાસની માંગણી થઇ છે. વંથલીના દિલાવરનગર નજીક રેઢીયાળ ૧૧ ગૌવંશ કોઇ ઝેરી પદાર્થ ખાવાથી તરફડીને મૃત્યુને  ભેટી હતી.

આ બનાવની જાણ થતા ગૌસેવકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે  ખસેડવામા આવ્યા હતા. શહેરમાં આ બનાવની જાણ થતા હિંદુ સમાજમાં  અરેરાટી પ્રસરી ગઇ હતી. ૧૧ ગૌવંશના મૃત્યુમા કોઇએ ઝેરી પદાર્થ ખવડાવી દીધાની આશંકાએ તપાસની માંગણી કરાઇ છે.

(12:59 pm IST)