Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

જામનગરઃ ખેડૂતોએ સહાયની માંગણી સાથે પાક સળગાવ્યો

જામનગરઃ  જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. મગફળી સહીતનો ઉભો પાક બગડી ગયો હોવાથી ખેડૂતોને થયેલી નુકસાની અંગે સહાયની માંગણી સાથે જામનગર તાલુકાના આમરા ગામ પાસે જુદા જુદા ૧૦ ગામોના ૧૦૦ થી વધુ ખેડૂતો એકત્ર થયા હતા અને પોતાનો પાક જાહેરમાં સળગાવી વિરોધ પ્રગટ કર્યો હતો.

ખેડૂતોએ સરકાર તાકિદે સહાય આપે તેવી  માંગણી કરી રહ્યા છે.  ખેડૂતો દ્વારા માંગણી કરાઇ હોવા છતા સરકાર તરફથી ઢીલી નીતિ અપનાવવામા આવી રહી છે. જેના વિરોધના ભાગરૃપે  એકત્ર થયેલા ખેડુતોએ પોતાના મગફળી, કપાસ તલ સહીતના બગડેલા પાકને જાહેરમાં એકત્ર કરી સળગાવી નાખી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

(12:58 pm IST)