Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જામનગર જી.જી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લેતી સી.એ.યુવતિનો રિપોર્ટ આવે તે પહેલા મોત

જામનગર, તા.૧૬: જામનગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે. તેવામાં પાણીજન્ય રોગચાળો ગણાતો ડેંગ્યુનો રોગચાળો શહેરમાં ફરી માથું ઊંચકી રહ્યો છે. જામનગરમાં ડેન્ગ્યુની સસ્પેકટ સારવાર માટે આવેલી એક યુવતીનું મોત નીપજયું છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં હાલ પણ ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે.

વહોરા પરિવારની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મોહમદિ મોહલ્લા (વાછડી ફળી) પાસે રહેતા ઝૈનબ બેન જુઝેરભાઇ ભારમલ (ઉ.૨૩) સી.એ.નો ડેંગ્યુએ લીધો ભોગ લીધો છે.

જામનગર જિલ્લાની સરકારી જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૩૦ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. ગઈકાલની સ્થિતિએ ૩૦ દર્દીઓ ડેંગ્યુ પોઝિટિવના સારવાર હેઠળ છે. જયારે ૩૫ દર્દીઓને ડેંગ્યુની સારવાર આપી રજા આપવામાં આવી છે.

સરકારી હોસ્પિટલ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડેંગ્યુના કેટલાક કેસો સામે આવ્યા છે. અને ખાનગી હોસ્પિટલ-દવાખાનાઓમાં પણ ડેંગ્યુના કેટલાક કેસો સામે આવી રહ્યા છે. જામનગરના શહેર વિસ્તારમાં હાલ ડેંગ્યુના કેસો ઘટી રહ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં ડેંગ્યુની અસર જોવા મળી રહી છે.

જામનગર જિલ્લામાં વધી રહેલા ડેંગ્યુના કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ કેળવવા માટે ખુલ્લામાં ભરાયેલા પાણીમાં ઓઇલ નાખવા અને દવા છટકાવ કરવાની કામગીરી આરંભાઈ છે.જામનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શેરી મહોલ્લાઓમાં દ્યેર-દ્યેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ જઈ રહ્યા છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાલમાં ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવ અંગે ચેકીંગ કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. (૪.૧૫)

 

(4:09 pm IST)