Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

દેવભુમિ દ્વારકા જીલ્લાના ભાજપના નવેય મંડળોના હોદેદારો બિનહરીફ

ખંભાળિયા તા.૧પ : દેવભુમી દ્વારકા ભાજપના કાર્યકરો હોદેદારોનું ભવ્ય સ્નેહમિલન તથા જીલ્લાના નવેય મંડલો તાલુકા શહેરના ભાજપના હોદેદારોની વરણીનો કાર્યક્રમ  ગઇકાલે આહિર સમાજ વાડી ખંભાળિયા ખાતે સાંજે યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, હોદેદારો તથા સરપંચો પાલિકા પ્રમુખો, તા.પં. પ્રમુખ જિ. પં.તા.પં. સદસ્યો વિ.  ઉપસ્થિત રહયા હતા.

દેવભુમી દ્વારકા જિલ્લામાં આવેલા નવેય મંડલોના હોદેદારોની વરણી ખુબ જ શાંતિપુર્ણ તથા ઉત્સાહના માહોલમા થઇ હતી. તથા એક પણ મંડળની રચના કોઇપણ  કચવાટ કે વિરૂધ્ધ રજુઆતથઇ ન હતી.

દેવભુમી દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક  ખંભાળિયાના શહેરમાં પ્રમુખ તરીકે અનિલભાઇ તન્ના તથા મહામંત્રી તરીકે ઇન્દ્રજીતસિંહ પરમાર તથા જીજ્ઞેશભાઇ પરમારની નિમણુંક થઇ છે.

ખંભાળિયા તાલુકાના ભાજપ મંડળ પ્રમુખ તરીકે શ્રી કિશોરસિંહ જાડેજા તથા મહામંત્રી તરીકે કાનાભાઇ કરમૂર તથા રવજીભાઇ નકુમની નિમણુંક થઇ છે કિશોરસિંહ અગાઉ તા.પં. ઉપપ્રમુખ હતા તથા કાનાભાઇ રીપીટ થયા છે તો રવજીભાઇ નકુમ અગાઉ તાલુકા પ્રમુખ હતા.

દ્વારકા જીલ્લાના ઓખા મંડળના પ્રમુખ તરીકે શ્રી દિલીપભાઇ કોટેચા તથા મહામંત્રી તરીકે આનંદભાઇ હરમાલી તથા  તથા કિર્તીરાજસિંહ રાઠોડની નિમણુંક થઇ છે. જયારે દ્વારકા તાલુકામાં પ્રમુખ તરીકે વરજાગભાઇ માણેક તથા મહામંત્રી તરીકે ધનાભા જડીયા તથા રાજેન્દ્રભાઇ પરમાર નિમણુંક થઇ છે.દ્વારકા શહેરના પ્રમુખ તરીકે વિજયભાઇ તથા મહામંત્રી તરીકે અશોકભાઇ ડાભી અને ધવલભાઇ ચંદારાણાની નિમણુંક થઇ છે. દ્વારકા શહેરમાં સતવારા, લોહાણા તથા બ્રાહ્મણ ત્રણેય પ્રમુખ સમાજને હોદામાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકા ભાજપના મંડળ પ્રમુખ તરીકે શ્રી વિક્રમભાઇ બેલા તથા મહામંત્રી તરીકે કિર્તીરાજસિંહ જાડેજા તથા  કાનજીભાઇ ડાભીને લેવાયા છે. અહી પણ આહીર સતવારા, રાજપુતને પ્રતિનિધિત્વ અપાયું છે.તો જામ રાવલ ગામ મંડળ પ્રમુખ તરીકે રસિકભાઇ થાનકી તથા મહામંત્રી તરીકે રાણાભાઇ જમોડની નિમણુંક થઇ છ. અહીં બ્રાહ્મણ કોળીને પ્રતિનિધિત્વ અપાયું છે.દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શહેર મંડળના પ્રમુખ તરીકે રઘુવંશી વિનુભાઇ અનડકટ, મહામંત્રી તરીકે વિનુભાઇ ઓડેદરા તથા યોગેશભાઇ રાઠોડની નીમણુંક થઇ છે. જયારે ભાણવડ તાલુકામાં પ્રમુખ તરીકે ગોવિંદભાઇ કનારા તથા મહામંત્રી તરીકે મોહનભાઇ અને કમલેશભાઇ પટેલ નીમાયા હતા.દેવભુમી દ્વારકા જિલ્લાના મંડળના તમામ હોદેદારો નિમાઇ ગયા છે.  જયારે જિલ્લા પ્રમુખ તથા મહામંત્રીશ્રીની નિયુકતી હવે જાહેર થશે હાલ કાળુભાઇ ચાવડા, મેઘજીભાઇ કણઝારીયા, મુળુભાઇ બેરા, પાલાભાઇ કરમૂર તથા હરીભાઇ નકુમ, ખીમજીભાઇના નામો ચર્ચાય છે.

(12:59 pm IST)