Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જોડીયા ભાજપનું સ્નેહમિલન : હોદ્દેદારોની વરણી

જોડીયા : જોડીયા તાલુકા ભાજપના ઉપક્રમે સ્નેહમિલન કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ  પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ. નવા વર્ષની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે જણાવેલ કે ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી અને અમીતશાહે દેશ કે વિદેશમાં ભાજપને નવી દિશા આપીને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે. ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાતમાં લખતરના ભરતભાઇ દલસાણીયા પ્રમુખ તરીકે જયારે બે મહામંત્રી પૈકી હડીયાણાના જયસુખભાઇ પરમાર (સતવારા) જયારે બીજા જામસરના અરવિંદ રાઠોર (કડીયા)ને જોડીયા તાલુકા ભાજપાની જવાબદારી સાથે વરણી કરાયેલ. નવા બનેલ ૩ હોદ્દેદારોને મંચસ્થ તથા તાલુકાના કાર્યકર્તાઓ ફુલહાર સાથે સ્વાગત અને સન્માન કરેલ. સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લા પદાધિકારીઓમાં પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, દિલીપસિંહ ચુડાસમા, વિનુભાઇ કાનાણી, દિલીપ ભોજાણી, જેઠાલાલ અઘેરા, ચિરાગ વાંક, રસીક ભંડેરી, હાર્દિક લીબાણી તથા ગામોના સરપંચો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન ભાજપના કાર્યકર મનોજભાઇ ચાવડાએ કરેલ. હોદ્દેદારોના સન્માનની તસ્વીર.(

(12:08 pm IST)