Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જસદણ તાલુકામાં કુંવરજીભાઇના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત

૩૨૫ લાખના ખર્ચે ત્રણ રોડનુ ખાતમુર્હુત તેમજ આંગણવાડી મકાનનું લોકાર્પણ

આટકોટ તા.૧૬: જસદણ તાલુકામાં વિકાસના કામોનું કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા ભાજપના આગેવાનો દ્વારા ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

ગઇ કાલે કરવામાં આવેલ ખાતમુહુર્તમાં ૧૧૮ લાખના ખર્ચ શિવરાજપુર-ગોખલાણા રોડ, ૬૬ લાખના ખર્ચે જસદણ-ખાનપર રોડ અને ૧૪૧ લાખના ખર્ચે સાણથલી ઇશ્વરીયા રોડનુ ખાત મુહુર્ત કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત સાણથલી ખાતે આંગણવાડી બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે તાલુકા ભાજપ અગ્રણી ધીરૂભાઇ ભાયાણી, દેવશીભાઇ ટાઢાણી, પોપટભાઇ રાજપરા, બાબુભાઇ (ભવાની ટ્રાવેલ્સ) મહેશભાઇ ભાયાણી, સાણથલી જીલ્લા પંચાયતના સભ્ય વિનુભાઇ ધડુક, મનસુખભાઇ જાદવ, સાણથલીના સરપંચ હસુભાઇ ધડુક, પુર્વ ઉપસરપંચ હસુભાઇ વસાણી સહિત ભાજપના અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

સાણથલી આંગનવાડી બિલ્ડીંગના લોકાર્પણમાં સુપરવાઇઝર ચંદ્રીકાબેન, સી.ડી.પી.ઓ. તરૂલતાબેન કિસ્ટલબેન પરમાર નિતાબેન મકવાણા સહિત અન્ય આંગણવાડી બેહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:55 am IST)