Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જુનાગઢ બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓનો નિવૃતી વિદાય સમારોહ

જુનાગઢ તા ૧૬ : જુનાગઢ હાઉસિંગ બોર્ડ નજીક આવેલ બી.એસ.એન.એલ. ઓફિસ ખાતે ગઇકાલે બી.એસ.એન.એલ.ના નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓનો નિવૃતી વિદાયસમારોહ યોજાયો હતો. જેમાં નિવૃત થઇ રહેલ શ્રી સવસાણી (એસડીઇ) તેમજઓ.એસ શ્રી એ.એચ.રાઠોડ, કે.પી. પારેખ, એલ.ડી. ત્રિવેદી અનેજી.એમ. મેલવાણી, વી.પી. ડઢાણીયા, વી.આર.મહેતા, વી.કે.ઠાકર, એમ.એમ. ચાવડા, શ્રીમતી હંસાબેન વાજા સહિતના ને બી.એસ.એન.એલ. યુનિયનના સર્કલ સેક્રેટરી ડી.કે. બકોત્રા, એ.એચ.રાઠોડ, બાન્ચ સેક્રેટરી ડી.એસ. તેરૈયા સહિતના સમગ્ર સ્ટાફે આ નિવૃત થઇ રહેલ તમામને નિવૃતી સમય સુખમય પરિવાર સાથે વિતાવો અને તંદુરસ્ત અને દિઘાર્યુ આયુષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. ઉપરોકત તસ્વીરમાંનિવૃત થઇ રહેલા નજરે પડે છે (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(1:43 pm IST)