Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ચલાળા-ગોપાલગ્રામ વચ્ચે નર્મદાની લાઈનમાં ભંગાણ

હજારો લીટર પાણી વેડફાયું : આસપાસના ખેતરોમાં પાણી ઘુસી ગયા

અમરેલી જિલ્લાના ચલાળા-ગોપાલગ્રામ વચ્ચે નર્મદાની લાઈનમાં ભંગાણ થયું. જેને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ભંગાણને કારણે આસપાસના ખેતરોમાં પાણી ધૂસી ગયા. અહીં ઘણા દિવસોથી પાણીનો વેડફાટ થતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

  અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ પાણીના વેડફાટ થયાનું સામે આવી રહ્યું છે. તંત્ર જાણે પાણી બચાવોના સૂત્રો લખીને સંતોષ માને છે. પરંતુ અનેક જગ્યાએ પાઈપલાઈનોમાં કે કેનાલોમાં ગાબડાં પડે છે. અને લાખો લીટર પાણી વેડફાઈ જાય છે તે અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે અછતની સ્થિતિમાં તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

(1:13 pm IST)