Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મોરબીમાં માનસિક બિમારીથી કંટાળી દરજી વૃધ્ધાનો સળગી જઇ આપઘાત

૮૦ વર્ષના મંગળાબેન ધામેચાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા.૧૭: મોરબીના ખત્રીવાડમાં  મેઇન રોડ પર રહેતાં મંગળાબેન મુળજીભાઇ ધામેચા (ઉ.૮૦) નામના દરજી મહિલાએ ગઇકાલે સાંજે સાતેક વાગ્યે અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મંગળાબેનને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. માનસિક બિમારીથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.

(11:46 am IST)