Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મોરબીના શકત શનાળામાં શકિતદેવી જયંતી મહાઉત્સવ

મોરબી તા. ૧૭ : તલવાર બાજી ટીમ શકત શનાળા અને ઇસ્ટદેશ ઝાલાવાડ ઈતિહાસ સંશોધન મંડળ દ્વારા તા. ૧૯ ને સોમવારે શકિત એકાદશી નિમિતે શકિત ધામ શકત શનાળા ખાતે શ્રી શકિતદેવી જન્મજયંતી મહા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગમહાઉત્સવમાં શ્રી શકિતદેવીના ૯૪૩માં જન્મોત્સવ નિમિતે ૯૪૩ દીવાની મહાઆરતી સાથે ૫૬ ભોગનું આયોજન કરેલ છે. જેમાં સવારે ૯.૩૦ કલાકે શકિત દેવી ૫૬ ભોગ પ્રસાદી અને સાંજે ૬.૩૦ કલાકે શકિત દેવી ૯૪૩ દીવાની મહા આરતી યોજાશે જે દિવ્ય અવસરનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

(11:11 am IST)