Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ભાવનગરનાં ભુંભલી ગામના મહિલાનું સ્વાઇન ફલુથી મોતઃ અત્યાર સુધીમાં ૧૫નો ભોગ લેવાયો

ભાવનગર તા. ૧૭: ભાવનગરમાં આજે પણ સ્વાઇન ફલુથી એકનું મોત નિપજયું છે. ભુંભલી ગામની મહિલાનું સ્વાઇન ફલુથી મોત થયું છે.

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુનાં દર્દીઓ સારવાર લઇ રહયા છે. કાલે એકનું મોત નિપજયું હતું. અને આજે બીજા દિવસે પણ ભુંભલી ગામની ૫૦ વર્ષીય મહિલાનું મોત સ્વાઇન ફલુથી સારવાર દરમ્યાન મોત નિપજયું છે આમ બે દિવસમાં સ્વાઇન ફલુ એ બેનો ભોગ લીધો છે.

ઉપરાંત વધુ એક પોઝીટીવ કેસ પણ નોંધાયો હોવાનું હોસ્પિટલનાં સુત્રો દ્વારા જાણવા મળેલછે.

ઉલ્લેખનીય છે કે ચાલુ સીઝનમાં સ્વાઇન ફલુ થી ભાવનગરમાં ૧૫ થી વધુનાં મોત નિપજયાં છે.

(11:11 am IST)