Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ધોરાજી ખાતે મોહંમદ પેગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી માટે મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ખાતે  મોહંમદ પેગમ્બર સાહેબના જન્મ દિવસની  ઉજવણી માટે મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ અમન શાંતિ અને ભાઈચારાનું સંદેશ આપનાર અને માનવતાના મસીહા અને દરેક જીવ માટે દયાળુ દ્રષ્ટિ દખાવનાર અને ઇસ્લામ ધર્મ ના સ્થાપક મોહમદ પયગમ્બર સાહેબનો જન્મ દિવસ જેને મુસ્લિમો ઈદ એ મિલાદ ના નામ થી મનાવે છે ધોરાજી સુન્ની મુસ્લિમ જમાત તરફ થી બહાર પૂરા ખલીફા મસ્જિદ પાસે 12 રાત્રિ સુધી દરોજ રાત્રે ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધી વાયઝ શરીફનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં ખતિબ એ જીશા મુકરીર એ હિન્દુસ્તાન અલ્લામા મોલાના મુફ્તી ગુલામ ગોશ અલ્વી યુલ હાશમી સાહેબનું બયાન થાઈ છે વાયજ બાદ કોરોના નાબૂદી માટે અને દેશમાં અમન શાંતિ માટે દુઆ કરવામાં આવે છે આં કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ અલ અમીન પેઈન્ટર  હનીફ સાહેબ બ્લોચ અશફાક સાઈનિંગ વાલા  હાજી સુલેમાન ભાઈ મત્વા ( ભંગાર વાલા ) અયુબ ભાઈ ચોહાણ સિરાજ બાપુ બુખારી જહેમત ઉઠાવી રહ્યા છે
અને તા ૧૮ ના રોજ ધોરાજી ની દરેક મસ્જિદ માં રાત્રે ઈશા ની નમાજ બાદ યાસીન શરીફ અને દુઆ એ ખેર થશે અને તા ૧૯ ને સોમવાર ના રોજ વહેલી સવાર માં પયગમ્બર સાહેબ ના જન્મ દિવસ ના પવિત્ર સમયે દરુદ શરીફ અને નાત શરીફ સાથે સલામ પઢવામાં આવશે અને મોહમદ પયગમ્બર સાહેબ ના બાલ મુબારક ના દીદાર કરાવવામાં આવશે આ પવિત્ર તહેવાર નિમિતે સૈયદ હાજી કયુમ બાવા શિરાજી સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરી સૈયદ શકીલ બાપુ શિરાજી અને મુફ્તી નવાજ સાહેબ મોલાના હાફિઝ અવેશ સાહેબ અને મુસ્લિમ મત્વા માલધારી સમાજ ના વરિષ્ઠ આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી અનવર શાહ બાપુ રફાઇ મેમણ મોટી જમાત ના પ્રમુખ અફરોજ ભાઈ લકડકૂટા પાલિકા ના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પોઠિયા વાલા અકીલ ભાઈ પટેલ રિયાઝભાઈ દાદાણી સામાજિક આગેવાન જબાર ભાઈ નાલ બંધ મોહમદ કાસીમ ગરણા હાજી અમીન ભાઈ મતવા ઇમરાન ભાઈ શમા સહિત ના એ લોકો ને મુબારક બાદ પાઠવી છે

(4:54 pm IST)