Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

જામનગર પત્રકાર મંડળના નવા કારોબારી સમિતીના સભ્યોની વરણી

જામનગર : જામનગરના સૌથીજુનાજામનગર પત્રકાર મંડળની અસાધારણ સભા જામનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી. આ અસાધારણ સભામાં પત્રકાર મંડળના નવા કારોબારી સમિતિના સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં જામનગર પત્રકાર મંડળના કારોબારી સભ્યોમાં સંજયભાઇ એમ. જાની (પ્રમુખ) ભરતભાઇ રાવલ (મંત્રી)  પરેશભાઇ શારડા (ખજાનચી), મધુસુદન ભટ્ટ (ઉપપ્રમુખ), પરાક્રમસિંહ રાણા (સહમંત્રી) ગુણવંત જોશી (કારોબારી સભ્ય) દિનેશભાઇ વોરા (કારોબારી સભ્ય) સંજયભાઇ આઇ. જાની (કારોબારી સભ્ય) કિંજલ કે કારસરીયા (કારોબારી સભ્ય) અશોકભાઇ પંડયા (કારોબારી સભ્ય) તરીકે બિન હરીફ ચુંટાયા હતા.

(1:13 pm IST)