Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

તળાજામાં જુની અદાવતમાં કોળી યુવકની હત્યા કરનારા પ શખ્સો ઝડપાયા

હત્યાનો ભોગ બનનાર રમેશ મોહનભાઇ ભાલીયા સામે પણ પોલીસમાં ૩ ગુન્હા

ભાવનગર, તા. ૧૭ : શહેરના દિનદયાળ નગરમાં ગઇકાલ સવારે લગભગ સવાસાતના સુમારે આ વિસ્તારમાં જાણીતા રમેશ (ઉર્ફે દાઢી) મોહનભાઇ ભાલીયા (ઉ.વ.૪૦)ની આયોજન પૂર્વક આંખમાં મરચાની ભુંકીછાંટી હત્યારાઓએ તિક્ષ્ણ હથીયારો ધારણ કરી ઘાતકી હત્યા કરી બાઇક પર ફરાર થઇ ગયા હતા. આ ઘટનાના પગલે મૃતકના ભાઇ મુકેશ ભાલીયાએ ચાર હત્યારા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

બીજી તરફ તળાજા ઇન્ચાર્જ પી.ઇ. ગઢવીને બનાવની જાણ થતા હત્યારાઓને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી હતી. સાથે સ્થળ તપાસ, નિવેદનો સહિતની કાયદેસરની કાર્યવાહીમાં હત્યારાઓ ચાર નહીં, પરંતુ પાંચ હોવાનું ખૂલવા પામેલ તે ઉપરાંત કાળજુ કંપાવી દે તે રીતે હત્યાને અંજામ આપી બાઇક પર ભાગી છૂટેલાનું લોકેશન આજે બગડડેમ નજીક મળતા પાંચેય હત્યારાઓ અલ્પેશ વનાભાઇ જાવદ (ઉ.વ.ર૪), દિનેશ વનાભાઇ જાદવ (ઉ.વ.ર૩), સાહીલ ઇકબાલભાઇ સેલોત (ઉ.વ.ર૪), જોગી દિનેશ દેવાભાઇ (ઉ.વ.૧૯) તથા જેમનું નામ તપાસ દરમિયાન ખુલવા પામેલ તે અક્રમ હનીફભાઇ દસાડીયા (ઉ.વ.રર) ને દબોચી લીધા હતાં.

હત્યાનો ભોગ બનનાર રમેશ ભાલીયા તથા હત્યારાઓ એકજ વિસ્તારમાં રહે છે. પાંચેય હત્યારાઓઅ ેકહી શકાય કે યુવાનીના ઉંબરે પગ મૂકયો છે. ૧૯થી ર૪ વર્ષની ઉંમરના થયા છે ત્યાંજ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપી લોકઅપના સળીયા પાછળ ધકેલાયા છે.

પોલીસે મોબાઇલ કબ્જે લીધા છે. આવતીકાલે તળાજા કોર્ટમાં રીમાન્ડ અર્થે રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.(૮.૭)

(12:12 pm IST)