Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કેશોદ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા નવરાત્રી પર્વની હર્ષભેર ઉજવણી

 ઢાંક તા.૧૭: કેશોદ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા નવરાત્રી પર્વની ભકિતભાવ અને શ્રધ્ધાથી ઉજવણી કરાઇ રહી છે.

નવરાત્રી દરમ્યાન જગતજનનીને રીઝવવા જ્ઞાતિના ભાઇ-બહેનો માતાજીના ગરબે મન મુકીને રમી રહયા છે. અને માતાજીના આશીર્વાદ મેળવી રહયા છે.

આ નવરાત્રી દરમ્યાન સમાજના દરેક વ્યકિતમાં રહેલ સુસુપ્ત શકિત બહાર લાવવા નવે-નવ દિવસ નવરાત્રી દરમ્યાન સમાજના અલગ અલગ વ્યકિતને નવરાત્રીનું સંચાલન સોંપવામાં આવે છે. તેથી સમાજ ભાવના સાથે નવદૂર્ગા-માં આદ્યશકિતની આરાધના ખૂબ ધામધુમે ઉજવી રહયા છે.

કેશોદ દશનામ ગોસ્વામી સમાજના યુવા અને ઉત્સાહી પ્રમુખ સંજયગીરી રતિગીરી ગોસ્વામીની આગેવાની હેઠળ ઉપ પ્રમુખ લલિતગીરી કાશીગીરી ગોસ્વામી તથા જયેશગીરી ગોરધનગીરી ગોસ્વામી તથા મંત્રી શ્રી જયેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી તથા સમાજના કારોબારીના દરેક સભ્યો ખંભે ખંભા મીલાવી નવરાત્રી પર્વને ધામધુમ પુર્વક ઉજવી રહયા છે.

કેશોદના ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિ શ્રી દેવાભાઇ માલમ ધારાસભ્યનું પ્રેરણાદાયક પ્રવચન કરેલ હતું.

(12:12 pm IST)