Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિસાવદરના વડાળાની વાડીમાં ઝેરી જનાવર કરડતા રતાભાઇ આહીરનું મોત

રાજકોટ તા.૧૭: વિસાવદરના વડાળા ગામ પાસે વાડીમાં ઝેરી જનાવર કરડતા આહીર પ્રોૈઢનુંં રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજયું છે.

 

મળતી વિગતો મુજબ વિસાવદરના વડાળા ગામમાં રહેતા રતાભાઇ ભીખાભાઇ સ્યારા (ઉ.વ.૫૫) ગત તા.૧૦ના રોજ ગામ પાસે પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે તેને ડાબા પગમાં કોઇ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે પ્રથમ જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક રતાભાઇને સંતાનમાં બે  પુત્ર છે. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ જી.કે. પરમાર તથા રાઇટર અરૂણભાઇ ચાવડાએ કાગળો કરી વિસાવદર મોકલ્યા છે.(૧.૯)

(12:11 pm IST)